અનોખુ માતૃત્વ (ભાગ 2) અંતિમ ભાગ
મીરાંએ પોતાની બધી હિમ્મત એકઠી કરીને જ્યોતિનું જીવન બચવા કમર કસી, નિષ્ણાત તબીબોની સારવાર અને દવાઓની મદદથી જ્યોતિને બચવાના પ્રયત્નો શરુ થયા. કેમોથેરપી અને બ્લડ ટ્રાન્સફયુસન ના પ્રયોગો શરુ થયા. જ્યોતિને પણ મીરાંએ માંથી આ બધી સારવાર માટે તૈયાર કરવાની હતી. દીકરીને સમજવતાં તેણીએ કહ્યું,' બેટા ,તારા શરીરમાં એક નાના દુશમને હુંમલો કાર્ય છે. એ બહુ નાનો છે એટલે દેખાતો નથી આપણે આ બધી દવા લઈશું ત્યારે એ થાકીને તારા શરીરને છોડીને ભાગી જશે. તું મારી મદદ કરશે ને, એને ભગાવામાં ? "
જ્યોતિ તૈયાર થઇ ગઈ. બધી દવાઓ લઇ લેતી. અને સારવારમાં પણ પૂરો સહકાર આપતી. અમરને કલાસ માં વધુ સમય આપવો પડતો મીરાની સારવારમાં ઘણો ખર્ચ થતો એથી અમરને વધુ કામ કરવું પડતું. મીરા હવે કલાસ માં ન આવી એટલેએના વિષયો માટે પણ તેને સમય આપવો પડતો. થોડા બીજા નાના મોટા કામ કરી લેતો જેથી ખર્ચને પહોંચી વળાય. આ કપરા સમયમાં મીરા જ્યોતિની માતા , શિક્ષિકા , નર્સ તરીકેની બધી ફરજો બજાવતી. પોતે હસ્તી રહીને જ્યોતિને હિંમત આપતી. આ લડાઈ લગભગ પાંચ વર્ષ ચાલી. આ દરમ્યાન મીરા એ કયારેય જ્યોતિને હારવા ના દીધી એને ખુશુંખશાલ રાખતી. આ જોઈને અમર કયારેક ભાંગી પડતો અને મીરાના સામર્થ્યને સાલમ કરતો. આખરે એક દિવસ જ્યોતિએ હસતા હસતા મીરાની ગોદમાં આ દુનિયાને અલવિદા કહી દીધી!!
મીરાંએ એટલા વર્ષોથી સંઘરી રાખેલ ધૈર્યનો બંધ આજે તૂટી ગયો. અમર અને મીરા આજે ભાંગી પડ્યા. બને એકબીજાને હિંમતના આપી શક્ય. ડૉક્ટર શાહ આવીને બોલ્યા ,"સોરી આપણી દીકરીને અમે બચાવી ન શકયા. એ ખુબ હીમતવાન હતી. હસીને મૃત્યુ ને ભેટી છે . આ બીમારીના દર્દીઓ ડરથી જ મૃત્યુ પામે છે પણ જ્યોતિ એવી નહોતી! મારે પૂછવું તો ના જોઇયે પણ એક ડોક્ટર તરીકે મારી એ ફરજ છે, શું આપ તેની આંખોનું દાન કરશો ? એનાથી કોઈ બીજું બાળક તેના માતા પિતાને જોઈ શકશે."
મીરા અને અમારે તરત સમંતી આપી. જ્યંતિની આંખો એ બે બાળકોની આંખોમાં જ્યોતિનું નિરૂપણ કર્યું. ડો. શાહ જયારે અમર અને મીરાંને આ બાળકોને મળવા લઇ ગયા ત્યારે સંતાન વિહોણા દંપતીનું હૈયું એ નિર્દોષ બાળકોને જોઈ ખીલી ઉઠ્યું. બંનેની આંખોમાં જ્યોતિને જીવંત જોઈને તેમને એક અલગ સુખની અનુભૂતિ થતી જણાઈ. હવા બને નિયમિત રીતે અંધ બાળકોની મુલાકાત લેવા લાગ્યા. કેટલા નિર્દોષ ભૂલકાઓ, જેમાંના ઘણા અનાથ હતા અને વળી અંધ. તેમની દુનિયામાં કોઈ નહોતું. પણ તોય ફૂલની જેમ ખિલખિલાવીને હસતા રહેતા. મીરાંએ અમરને કહ્યું આપણે આપણી જ્યોતિ માટે રડી રહ્યા છે અને આ બાળકો તેમના માતા પિતા માટે! શું આપણે આ લોકોના જીવનમાં ખુશીઓ ના લાવી શકીયે ? આપણા આ અનાથ બાળકોના માતા પિતા બની શકીયે ?
અમર બોલ્યા , તારી વાત સાચી છે. આ બાળકોનું જીવનથી આપણા જીવનું ધ્યેય બની જશે. આજથી આ દરેક બાળકમાં આપણે જ્યોતિને જોઈશું."
અમર અને મીરાંએ ત્યારથી એ અંધ અનાથાલયની બધી જવાબદારી લઇ લીધી. આ બાળકોનું પાલન પોષણ , તેમના માટે આંખ માટે દાતા ને શોધવા ,તેમની કેળવણી અને જીવન જીવવાની બધી વ્યવસ્થા તેઓ સાંભળે છે. કોચિંગ ક્લાસમાંથી મળતી કમાઈમાંથી પોતાની જરૂરત પૂરતું રાખીને બધું અનથાલયને આપે છે તેમને બીજા અનેક દાતાઓનો સાથ મળ્યો છે. આજે તેઓ અનેક બાળકોના માતા પિતા છે. શું આવા વિરલ માતૃત્વને એક અનોખું માતૃત્વ ન કહી શકાય !!
આવા માતૃત્વને મારા શત શત નમન ..
તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો